You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay

ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રસીકરણ (વેક્સિનેશન) અથવા બેસિલ કેલ્મેટ-ગ્યુરીન (બીસીજી) રસીકરણનો ઉપયોગ ટ્યુબરક્યુલોસિસના જોખમ તેમજ બાળપણના ટ્યુબરક્યુલસ મેનિન્જાઇટિસ અને મિલિયરી રોગ સામે રક્ષણ કરવા માટે થાય છે. કૃપા કરીને રસીકરણ વિશે તમારા ડૉક્ટરની સલાહ લો.

જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?
કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શું તમને ખબર છે?

  • • 2019 માં, વિશ્વભરમાં ટ્યુબરક્યુલસને કારણે 14 કરોડ લોકો મૃત્યુ પામ્યા.
  • • વૈશ્વિક સ્તરે 170 કરોડ લોકો ટ્યુબરક્યુલોસિસથી સંક્રમિત હોવાનો અંદાજ છે.

વિલંબ ન કરો!

BCG રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

ટ્યુબરક્યુલોસિસ શું છે?

ટ્યુબરક્યુલોસિસ (ટીબી) એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસને કારણે થતો રોગ છે. તે સામાન્ય રીતે ફેફસાંને સંક્રમિત કરે છે અને ત્યાંથી સરળતાથી ફેલાય છે, પરંતુ તે કરોડરજ્જુ, કિડની અને મગજને પણ અસર કરી શકે છે. તેના બેક્ટેરિયા કોઈને પણ સંક્રમિત કરી શકે છે પરંતુ દરેક વ્યક્તિમાં લક્ષણો દેખાતા નથી, ખાસ કરીને જો ફેફસામાં ચેપ લાગ્યો ન હોય.

ટ્યુબરક્યુલોસિસ કેવી રીતે ફેલાય છે?

ટ્યુબરક્યુલોસિસ (ટીબી) એ હવાથી ફેલાતો રોગ છે. જો કોઈ ટીબીના દર્દીના સંપર્કમાં આવે છે અને ચેપગ્રસ્ત હવામાં શ્વાસ લે છે, તો તે પણ સંક્રમિત થઈ શકે છે. તેના બેક્ટેરિયા શરીરના કેટલાક ભાગોને અસર કરી શકે છે પણ જ્યારે બેક્ટેરિયા ગળા અથવા ફેફસામાં હોય ત્યારે તે ચેપી હોય છે.

ટ્યુબરક્યુલોસિસ સ્પર્શ કરવાથી અથવા ચામડીને અડવાથી ફેલાતો નથી. કોઈનું એઠું ખાવું કે એઠું પાણી પીવું અથવા સ્પર્શ કરવો એ સંક્રમણની સામાન્ય રીતો નથી. જો કે, ટીબી સામાન્ય રીતે એવા લોકોને અસર કરે છે જેઓ ચેપગ્રસ્ત દર્દી સાથે સમય વિતાવે છે અથવા તેમની સાથે એક જ જગ્યા પર રહે છે.

ટ્યુબરક્યુલોસિસના લક્ષણો અને તેના કારણે થતી સમસ્યાઓ શું છે?

ટ્યુબરક્યુલોસિસ સાથે સામાન્ય રીતે સંકળાયેલા કેટલાક લક્ષણોમાં ઉધરસ અને છાતીમાં દુખાવાનો સમાવેશ થાય છે. આ લક્ષણો મોટે ભાગે એવા દર્દીઓને અસર કરે છે જેમને ફેફસામાં ચેપ લાગ્યો હોય. ટીબીના અન્ય કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે:

• ઉધરસ આવે ત્યારે લોહી અથવા લાળ નીકળવી

• તાવ

• થાક અથવા નબળાઈ

• ભૂખ ન લાગવી

• વજન ઘટી જવું

• બાળકોને ટ્યુબરક્યુલોસિસ માટે BCG રસી ક્યારે લેવી જોઈએ?

• જન્મ પછી તરત જ 1 ડોઝ લેવું જરૂરી છે.

• કેચ-અપ ડોઝ 6 અઠવાડિયાથી 4-5 વર્ષની ઉંમરે વચ્ચે કોઈપણ સમયે લઈ શકાય છે.

• જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

• ટ્યુબરક્યુલોસિસ રસીકરણ સાથે સંકળાયેલી સામાન્ય આડઅસરો શું છે?

• BCG રસીકરણ સાથે સંકળાયેલી પ્રતિકૂળ આડઅસરો વધારે નથી. સામાન્ય રીતે સંકળાયેલી મોટાભાગની આડઅસરો ચામડીને લગતી હોય છે.

• આડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

વારંવાર પુછાતા પ્રશ્નો

• ટ્યુબરક્યુલોસિસની સારવાર કેવી રીતે થાય છે?-

• યોગ્ય અને એકધારી સારવાર સાથે, ટ્યુબરક્યુલોસિસ રોગની સંપૂર્ણ સારવાર કરી શકાય છે. લક્ષણો અને ગંભીરતાના આધારે, તમને જરૂરી દવાઓ સૂચવવામાં આવશે.

• જો તમે અન્ય લોકોને સંક્રમિત કરી શકો તેમ છો, તો થોડા અઠવાડિયા માટે તમને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવે છે.

• ટ્યુબરક્યુલોસિસ અને BCG રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker