રોટાવાયરસ રોગ શિશુઓ અને નાના બાળકોમાં સૌથી સામાન્ય છે. રોટાવાયરસથી 3-5 વર્ષની ઉંમર સુધીના લગભગ દરેક બાળક સંક્રમિત થાય છે અને વૈશ્વિક સ્તરે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર, સૂકાં ઝાડાનું મુખ્ય કારણ છે.
You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.
Agree Agree Agree Stayરોટાવાયરસ રસીકરણ (વેક્સિનેશન), એ તમારા બાળકને રોટાવાયરલ ડાયેરિયા (ઝાડા) સામે રક્ષણ આપવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે.
જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
• રોટાવાયરસ ડાયેરિયા રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
• રોટાવાયરસ એ એક વાયરસ છે જે ગંભીર ઝાડા અને ઉલ્ટીનું કારણ બને છે. તે મોટે ભાગે શિશુઓ અને નાના બાળકોને અસર કરે છે. ઝાડા અને ઉલટી ગંભીર ડિહાઇડ્રેશન (શરીરના પ્રવાહીનો અભાવ હોવો) તરફ દોરી શકે છે. જો ડિહાઇડ્રેશનની સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. તે સમગ્ર વિશ્વમાં 5 વર્ષથી નીચેના દરેક બાળકને સંક્રમિત કરે છે.
વાઈરસ મોં દ્વારા સરળતાથી ફેલાઈ શકે છે અને દૂષિત મળના સંપર્ક દ્વારા ફેલાય છે. આ થઈ શકે છે જો:
• તમે તમારા હાથ ધોયા વિના, મોંમાં નાખો છો, જેનાથી ચેપ લાગે છે
• દૂષિત વસ્તુઓ અથવા સપાટીઓને સ્પર્શ કરવો અને પછી તમારી આંગળીઓ તમારા મોંમાં નાખવી
• અથવા દૂષિત ખોરાક ખાવું
રોટાવાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિઓના મળ અને ઉલટીમાં દ્વારા, ઘણા દિવસો સુધી, ખુબ જ વધારે ફેલાય છે. ચેપગ્રસ્ત હોવા દરમિયાન અને સ્વસ્થ થયા પછી પ્રથમ 3 દિવસ દરમિયાન, લોકો, અન્ય લોકોને રોટાવાયરસથી સૌથી વધુ સંક્રમિત કરી શકે છે . રોટાવાયરસ ધરાવતા લોકો, લક્ષણો દેખાય તે પહેલા અન્ય લોકોને પણ ચેપ લગાવી શકે છે.
રોટાવાયરસ રોગ સામાન્ય રીતે ઝડપથી થાય છે (લગભગ 2 દિવસમાં), જેના લક્ષણો 3 થી 8 દિવસ સુધી ઉલટી અને પાણીયુક્ત ઝાડા છે.
રોટાવાયરસ રોગના લક્ષણો અલગ-અલગ હોય છે, જેમાં ઢીલા ઝાડાથી લઈને ગંભીર ઝાડા અને ઉલટી થાય છે, જેના કારણે ડિહાઈડ્રેશન, ઈલેક્ટ્રોલાઈટમાં અસંતુલન અને આઘાત મૃત્યુ તરફ દોરી જાય છે.
તાવ, પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવી પણ થઈ શકે છે.
ACVIP (IAP) મુજબ, રોટાવાયરલ ઝાડા માટે રસીકરણ છ અઠવાડિયાની ઉંમરથી શરૂ થવી જોઈએ.
રસીકરણ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની (પીડિયાટ્રિશિયન) સલાહ લો.
જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
આડઅસરો અસામાન્ય છે, સામાન્ય રીતે વધારે નથી હોતી અને તેમાં મૂંઝવણ, ઉલટી અને ઝાડા શામેલ હોઈ શકે છે.
રોટાવાયરસ રસીકરણના પ્રથમ અથવા બીજા ડોઝ પછી એક અઠવાડિયાની અંદર ઇન્ટ્યુસસેપ્શન (આંતરડાના અવરોધનો એક પ્રકાર) ના થોડા કિસ્સાઓ નોંધાયા છે.
આડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
રોટાવાયરસ રોગ શિશુઓ અને નાના બાળકોમાં સૌથી સામાન્ય છે. રોટાવાયરસથી 3-5 વર્ષની ઉંમર સુધીના લગભગ દરેક બાળક સંક્રમિત થાય છે અને વૈશ્વિક સ્તરે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર, સૂકાં ઝાડાનું મુખ્ય કારણ છે.
હા, રોટાવાયરસ ડાયેરિયા અન્ય પ્રકારના ડાયેરિયા કરતા અલગ છે. બાળકને તાવ, ઉલટી અને ગંભીર ઝાડા થઈ શકે છે. ઝાડા દિવસમાં 15 થી વધુ વખત થઈ શકે છે અને 9 દિવસ સુધી ચાલુ રહી શકે છે. આનાથી ગંભીર ડિહાઇડ્રેશન થાય છે જેના કારણે ઘણીવાર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
અંદાજ મુજબ, રોટાવાયરસ ડાયેરિયાને કારણે ભારતમાં દર વર્ષે 8.7 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે. એટલે કે દર 31માંથી 1 બાળક રોટાવાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ધરાવે છે. ભારતમાં, એક વર્ષના બાળકો માટે આ રોગ સૌથી વધુ જોખમી છે.
હા. રોટાવાયરસ સ્વચ્છતા અને સફાઈમાં સુધારો કરીને પણ ટાળી શકાતો નથી, કારણ કે રોટાવાયરસ એક જટિલ વાયરસ છે. તે ઘણા દિવસો સુધી વસ્તુઓ પર રહી શકે છે. માત્ર હાથ ધોવા અને જંતુનાશક પદાર્થનો ઉપયોગ કરીને રોટાવાયરસને અટકાવવું ખૂબ જ મુશ્કેલ છે.
રોટાવાયરસ ડાયેરિયા ધરાવતા બાળકોને ઉલટી વધુ સામાન્ય રીતે થાય છે જે ઓરલ રીહાઈડ્રેશનને મુશ્કેલ બનાવે છે. આ પછી ગંભીર પાણીયુક્ત ઝાડા થાય છે. આમ, બાળકો શરીરના ઘણાં પ્રવાહી ઓછા થાય છે જેને તાત્કાલિક બદલવાની જરૂર પડે છે અને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
રોટાવાયરસ ડાયેરિયાથી બચવા વિશેની વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ છે, પરંતુ તે રોગના ફેલાવાને નિયંત્રિત કરવા માટે પૂરતા નથી. રોટાવાયરસ રસીકરણ એ તમારા બાળકને રોટાવાયરસ બીમારી સામે રક્ષણ આપવાની એક રીત છે. રોટાવાયરસ રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
ઝાડા વિવિધ વાયરસ અને બેક્ટેરિયાને કારણે થઈ શકે છે. જો કે, રોટાવાયરસ એ ગંભીર સૂકાં ઝાડાનું સૌથી સામાન્ય કારણ છે જેના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. રોટાવાયરસ સામે રસીકરણ તમારા બાળકને આ ગંભીર પ્રકારના સૂકાં ઝાડા અને માત્ર રોટાવાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ ન થવા માટે મદદ કરે છે.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.
અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.