હાલમાં, જાપાનીઝ એન્સેફાલીટીસનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. જો કે, દવાઓ, પ્રવાહી અને ઓક્સિજન આપવા સહિત લક્ષણો મુજબ સારવાર કરવાથી વ્યક્તિને ચેપ સામે લડવામાં મદદ મળી શકે છે.
You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.
Agree Agree Agree Stayજાપાનીઝ એન્સેફાલીટીસ એ એક વાઇરલ ચેપ છે જે ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાય છે. રસીકરણ દ્વારા તેને અટકાવી શકાય છે.
જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
જાપાનીઝ એન્સેફાલીટીસના રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા બાળરોગ ચિકિત્સકની સલાહ લો.
જાપાનીઝ એન્સેફાલીટીસ એક વાઇરલ ચેપ છે જે ફ્લેવીવાઇરસને કારણે થાય છે. તે આ વાઇરસથી સંક્રમિત મચ્છરના કરડવાથી ફેલાય છે. ચેપનો પ્રાથમિક સ્ત્રોત ડુક્કર અને પક્ષીઓમાં જોવા મળે છે જે ફ્લેવિવાઇરસનું વહન કરે છે, ત્યારબાદ આવા ચેપગ્રસ્ત પ્રાણીઓને મચ્છર કરડે એટલે તેમનામાં સ્થાનાંતરિત થાય છે. આ બીમારીના કારણે ગંભીર કિસ્સાઓ મગજનો સોજો અથવા તેને ક્ષતિ થઈ શકે છે, જેના કારણે મગજને કાયમી નુકસાન થઈ શકે છે. જે મચ્છર વાઇરસનું વહન કરે છે તેની પ્રજાતિ મોટાભાગે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં, ગ્રામીણ અને શહેરી એમ બંને જગ્યાએ, ભેજવાળી જમીન, ડુક્કરના ફાર્મ અને ડાંગરના ખેતરો સહિતના વિસ્તારોમાં હોય છે.
ગંભીર જટિલતા થઈ હોય તેવા પ્રત્યેક ચારમાંથી એક કેસ ચેપને કારણે મૃત્યુ પામે છે.
આ વાઇરલ રોગ પ્રાણીઓમાંથી મનુષ્યમાં મચ્છરો મારફતે ફેલાય છે.ડુક્કર અને પક્ષીઓ આ વાઇરસના પ્રાથમિક વાહક છે. જ્યારે મચ્છર કોઈપણ ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા પક્ષીઓને કરડે છે, ત્યારે તે મચ્છર વાઇરસથી સંક્રમિત થાય છે. હવે, જો તે ચેપગ્રસ્ત મચ્છર માણસોને કરડે છે, તો તે વાઇરસ માણસમાં પ્રવેશે છે, જેના કારણે ચેપ લાગે છે.
આ વાઇરસ માણસના સંપર્કમાં આવવાથી અથવા પીણાં અથવા ખોરાક એકબીજા સાથે વહેંચવાથી ફેલાતો નથી.
આ બીમારીથી સંક્રમિત મોટાભાગના લોકોને કોઈ લક્ષણો દેખાતા નથી અથવા માથાનો દુખાવો અથવા ઉબકા જેવા હળવા લક્ષણો દેખાય છે. તેના લક્ષણોને સામાન્ય રીતે તાવના લક્ષણો માની લેવામાં આવે છે.
જો કે, જાપાનીઝ એન્સેફાલીટીસથી સંક્રમિત અમુક જ સંખ્યામાં દર્દીઓને મગજમાં ચેપ પ્રસરી જાય તો જટિલ સ્થિતિ થાય છે. ગંભીર સ્થિતિ ધરાવતી વ્યક્તિને ભાગ્યે જ નીચે મુજબના લક્ષણો જોવા મળી શકે છે:
જો ગંભીર જટિલતા ધરાવતી વ્યક્તિ બચી જાય, તો તેને મગજમાં કાયમી ખામી, એક અથવા બે અંગોમાં લકવો, સ્નાયુઓ નબળા પડી જવા, આંચકી આવવી વગેરેનો અનુભવ થઈ શકે છે.
સામાન્ય રીતે બે મહિના અને તેથી વધુ ઉંમરના બાળકો માટે જાપાનીઝ એન્સેફાલીટીસ રસીની ભલામણ કરવામાં આવે છે.
જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
રસી આપવામાં આવેલ વ્યક્તિને હળવી અને ટૂંકાગાળાની આડઅસરો થઈ શકે છે, જેમ કે:
જો આડઅસરો ચાલુ રહે, તો કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
હાલમાં, જાપાનીઝ એન્સેફાલીટીસનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. જો કે, દવાઓ, પ્રવાહી અને ઓક્સિજન આપવા સહિત લક્ષણો મુજબ સારવાર કરવાથી વ્યક્તિને ચેપ સામે લડવામાં મદદ મળી શકે છે.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.
અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.