You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay

કોલેરા એ બેક્ટેરિયાથી થતું ઇન્ફેક્શન છે જે વિબ્રિઓ કોલેરા— બેક્ટેરિયાથી દૂષિત અસ્વચ્છ ભોજન લેવાથી અને પાણીનો ઉપયોગ કરવાથી થાય છે. તેની સારવાર કરવામાં ન આવે તો તે અમુક કલાકોમાં દર્દીનો જીવ લઇ શકે છે. કોલેરાનું રસીકરણ આ બીમારી સામે રક્ષણ મેળવવા માટેની અસરકારક રીત છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં નિયમિત ઉપયોગ માટે ભલામણ કરવામાં આવતી નથી; માત્ર અત્યંત સ્થાનિક વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓના રસીકરણ માટે ભલામણ કરવામાં આવે છે.

જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?
કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શું તમને ખબર છે?

  • દુનિયાભરમાં દર વર્ષે લગભગ 1.3 થી 4 મિલિયન કોલેરાના કેસ નોંધાય છે અને લગભગ 1 લાખ લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે.
  • 2020ની આસપાસ, 24 દેશોમાં આશરે 3,23,369 કેસ નોંધાયા હતા અને 857 મૃત્યુ પામ્યા હતા.

વિલંબ ન કરો!

કોલેરાના રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા બાળરોગ ચિકિત્સકની સલાહ લો.

કોલેરા શું છે?

કોલેરા એ એક અત્યંત ભયંકર બીમારી છે જેના કારણે ગંભીર તીવ્ર પાણી જેવા પાતળા ઝાડા થઇ શકે છે

કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ (વિબ્રિઓ કોલેરા) વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ પ્રવાહી ઘટી જાય છે. ગંભીર કિસ્સાઓમાં, સારવાર ન મળે તો, દર્દીને ડિહાઇડ્રેશન થઇ શકે છે અને તેને આઘાત (શૉક) થાય અને મૃત્યુ પણ થઈ શકે છે.

કોલેરા કેવી રીતે ફેલાય છે?

કોલેરા, મળમાં જોવા મળતા બેક્ટેરિયમ-વિબ્રિઓ કોલેરાથી દૂષિત ખોરાક અથવા પાણી લેવાથી થાય છે.

તે નીચેની રીતે ફેલાય છે:

  • જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ (ઝાડા)ના સંપર્કમાં આવો.
  • જો તમે મળથી દૂષિત (બેક્ટેરિયમ—વિબ્રિઓ કોલેરા) ખોરાક ખાઓ અથવા પાણી પીવો.
  • જો તમે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ.

તે મોટાભાગે શહેરોમાં ઝૂંપડપટ્ટી, શરણાર્થી શિબિરો અને ગરીબ વસાહતોમાં થાય છે, જ્યાં યોગ્ય સ્વચ્છતા સુવિધાઓનો અભાવ હોય છે.

કોલેરા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે.

કોલેરાના લક્ષણો અને જટિલતાઓ શું છે?

લક્ષણો સામાન્ય રીતે દૂષિત ખોરાક અથવા પાણી શરીરમાં ગયા પછી 12 કલાકથી પાંચ દિવસની વચ્ચે જોવા મળે છે.સામાન્ય લક્ષણો આ મુજબ છે:

  • પુષ્કળ પાણીયુક્ત ઝાડા
  • ડિહાઇડ્રેશન
  • ઉલટી
  • શરીરમાં પાણી ઘટી જવું
  • પગમાં ખેંચાણ
  • આઘાત (શૉક)

લક્ષણો સામાન્ય રીતે હળવા અથવા મધ્યમ હોય છે, જેમાં હળવા ઝાડા અને ડિહાઇડ્રેશન જોવા મળે છે.ગંભીર કિસ્સામાં, દર્દીને આ લક્ષણો જોવા મળી શકે છે:

  • ઓછું બ્લડ સુગર: બાળકોમાં જોખમ વધારે હોય છે કારણ કે ઓછા બ્લડ સુગરના કારણે બેભાન થવું, આંચકી આવવી વગેરે થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

કિડની ફેઇલ થવી: કોલેરાના કારણે શરીરમાં પ્રવાહીમાં બગાડ અને કચરો બની શકે છે જેના કારણે જીવલેણ જટિલતાઓ થઈ શકે છે.

પોટેશિયમ ઘટી જવું: કોલેરાના કારણે પોટેશિયમ જેવા ખનિજો સહિત શરીરના પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે.પોટેશિયમ ઘટી જવાથી હૃદય અને ચેતાના કાર્યોમાં વિપરિત અસર થઈ શકે છે.

કોલેરા માટે બાળકને ક્યારે રસી આપવી જોઈએ?

એક વર્ષથી વધુ ઉંમરના બાળકો કોલેરાની રસી મોં દ્વારા લઈ શકે છે.

ઓરલ (મોં દ્વારા આપવામાં આવતી) કોલેરાની રસી બે ડોઝમાં આપવામાં આવે છે જે ઓછામાં ઓછા બે અઠવાડિયાના અંતરાલમાં આપવામાં આવે છે.

જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

કોલેરાના રસીકરણ સાથે સંકળાયેલી સામાન્ય આડ અસરો શું છે?

કોલેરાની રસીની સંભવિત આડઅસર આ મુજબ છે:

  • તાવ
  • આંતરડામાં દુખાવો
  • ઉલટી
  • ઉધરસ
  • ઉજરડા
  • ખંજવાળ
  • નબળાઈ
  • ચક્કર
  • ઉબકા
  • મોં સુકાઈ જવું

મોટાભાગની આડઅસરો સામાન્ય છે અને સમય પસાર થાય તેમ જતી રહે છે.

જો આડઅસરો ચાલુ રહે, તો કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

વારંવાર પુછાતા પ્રશ્નો

હું કોલેરાને કેવી રીતે અટકાવી શકું?

જો તમે કોલેરાથી અસરગ્રસ્ત જગ્યાએ રહેતા હોવ અથવા આવી જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોવ, તો આ બાબતોનું પાલન કરો:

  • ખાદ્ય ચીજોને સ્પર્શતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા.
  • માત્ર ઉકાળેલું, શુદ્ધ કરેલું અથવા બોટલનું પાણી પીવો.
  • શક્ય હોય ત્યાં સુધી શેરી પરના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળો.
  • જેમાંથી રસ ટપકતો હોય તેવા ફળ જેમ કે દ્રાક્ષ અને બેરી લેવાનું ટાળો.
  • સુશી અને શેલફિશ જેવા કાચા અથવા ઓછા રાંધેલા સીફૂડ લેવાનું ટાળો.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker