• ના, પોલિયોનો કોઈ ઈલાજ નથી. યોગ્ય રસીકરણ દ્વારા બાળકને રસી આપીને પોલિયોને અટકાવી શકાય છે
You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.
Agree Agree Agree Stayપોલિયો, અથવા પોલિયોમેલિટિસ, એક ચેપી વાયરલ રોગ છે જે લકવો, કાયમી અપંગતા અને મૃત્યુ તરફ પણ દોરી શકે છે. પોલિયો રસીકરણ એ રોગ સામે રક્ષણ મેળવવાની અસરકારક રીતોમાંની એક છે.
જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
પોલિયો રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
પોલિઓમેલિટિસ, પોલિઓવાયરસથી થતો રોગ છે જે સામાન્ય રીતે પોલિયો તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે બાળકોને અસર કરે છે અને તેની ગંભીરતાના આધારે, લકવો અને મૃત્યુ તરફ દોરી શકે છે. આ સિવાય બચી ગયેલા લોકો પણ પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પ્રભાવિત થાય છે. તેઓ રોગ થયાના લગભગ 15 થી 40 વર્ષ પછી સ્નાયુમાં દુખાવો, નબળાઇ અને લકવો અનુભવે છે.
પોલિયોવાયરસ અત્યંત ચેપી છે અને તેથી તે વ્યક્તિથી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે.
તે નીચેની રીતો દ્વારા ફેલાય છે:
જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્કમાં આવો છો
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા ઉધરસમાંથી ટીપાં પડે છે
ચેપગ્રસ્ત વ્યક્તિ લક્ષણો દેખાય તે પહેલા અથવા તેના 2 અઠવાડિયા સુધી અન્ય લોકોમાં પણ વાયરસ ફેલાવી શકે છે. જેમને લક્ષણો ન હોય તેવા લોકો પણ પોલિઓવાયરસ ફેલાવી શકે છે.
પોલિઓવાયરસથી સંક્રમિત દરેક વ્યક્તિમાં લક્ષણો દેખાશે નહીં. જો કે, દર ચાર ચેપગ્રસ્ત લોકોમાંથી લગભગ 1 વ્યક્તિ ફ્લૂથી પીડિત વ્યક્તિમાં જોવા મળતા લક્ષણો જેવા જ લક્ષણો બતાવશે.
માં નીચેનાનો સમાવેશ થાય છે:
• ગળામાં દુખાવો
• તાવ
• પેટમાં દુખાવો
• થાક
• ઉબકા
• માથાનો દુખાવો
આ હળવા લક્ષણો છે અને સામાન્ય રીતે 2 થી 5 દિવસ જેટલા સમય માટે રહે છે.
ચેપની ગંભીરતાના આધારે, કેટલાક લોકો ગંભીર લક્ષણો અનુભવી શકે છે જે કરોડરજ્જુ અને મગજને અસર કરે છે, જેમ કે:
પેરેસ્થેસિયા, જેનાથી અંગોમાં, ખાસ કરીને પગમાં ટાંકણી-અને-સોય ખુંચતી હોય તેવી અથવા હલનચલન ન થઈ શકે તેવી લાગણી અનુભવાઈ છે
મેનિન્જાઇટિસ, જે મગજ અને કરોડરજ્જુની પટલની બળતરા છે
લકવો એ સૌથી ગંભીર લક્ષણોમાંનું એક છે જે કાયમી અપંગતા અને મૃત્યુ તરફ દોરી શકે છે, જે તેને પોલિયો સાથે સંકળાયેલ સૌથી ગંભીર લક્ષણ બનાવે છે.
• ઓરલ પોલિયો વેક્સિન (OPV) નો પ્રથમ ડોઝ બાળકને જન્મ સમયે આપવામાં આવે છે.
• જન્મ સમયે આપવામાં આવેલ OPV ના ડોઝ પછી, ઇન્જેક્શન દ્વારા આપવામાં આવેલ ઇનએક્ટિવેટેડ પોલિયો વાયરસ (IPV) ધરાવતી રસીઓ મહત્વપૂર્ણ છે અને 6 અઠવાડિથી વધારે ઉંમરના બાળકોને નિયમિતપણે આપવાની સલાહ આપવામાં આવે છે. આ IPV રસીઓ એકલી અથવા કોમ્બિનેશન રસીમાં ઉપલબ્ધ છે. વધુમાં, તમામ વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય પલ્સ પોલિયો દિવસો દરમિયાન તેમના બાળકો માટે OPV જરૂરથી લે.
• જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
• રસીઓ અથવા કોઈપણ દવા લેવાથી, આડઅસરો થવાની સંભાવના હોય છે. આ સામાન્ય રીતે હળવા હોય છે અને પોતાની મેળે દૂર થઈ જાય છે.
IPV મેળવનારા કેટલાક લોકોને જ્યાં શોટ આપવામાં આવ્યો હતો ત્યાં દુખાવો અને ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો થાય છે. IPV થી ગંભીર સમસ્યાઓ પેદા થતી નથી અને મોટાભાગના લોકો તેનાથી કોઈ સમસ્યા અનુભવતા નથી.
• ના, પોલિયોનો કોઈ ઈલાજ નથી. યોગ્ય રસીકરણ દ્વારા બાળકને રસી આપીને પોલિયોને અટકાવી શકાય છે
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.
અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.