મિસલ્સ રસીકરણ (MMR રસીકરણ) એ બાળકોને મિસલ્સ સામે સુરક્ષિત રાખવાની એક અસરકારક રીત છે.
You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.
Agree Agree Agree Stayમિસલ્સ એ એક ગંભીર વાયરલ બીમારી છે જેને મિસલ્સ રસીકરણ (MMR રસીકરણ) દ્વારા અટકાવી શકાય છે.
જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
મિસલ્સ રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.
મિસલ્સ એ અત્યંત ચેપી, ગંભીર વાયરલ રોગ છે જે શ્વસન માર્ગને ચેપ લગાડે છે અને સમગ્ર શરીરમાં ફેલાય છે.
મિસલ્સ ચેપગ્રસ્ત વ્યક્તિઓના શ્વસન ટીપાં દ્વારા ઉધરસ અને છીંક દ્વારા અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.
મિસલ્સના પ્રથમ લક્ષણો સામાન્ય રીતે ખુબ વાઘડારે તાવ હોય છે ત્યારબાદ અન્ય લક્ષણો જેવા કે:
• ફોલ્લીઓ, સામાન્ય રીતે ચહેરા અને ગળાના ઉપરના ભાગમાં, જે હાથ અને પગ સુધી ફેલાઈ શકે છે
• ઉધરસ
• વહેતું નાક
• લાલ, પાણીવાળી આંખો
• ગાલની અંદર નાની સફેદ ફોલ્લીઓ ગંભીર સમસ્યાઓ સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અથવા 30 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. આ સમસ્યાઓમાં શામેલ હોઈ શકે છે:
આંધળું થઇ જવું
એન્સેફાલીટીસ (એક ચેપ જેનાથી મગજમાં સોજો થાય છે)
ખુબ વધારે ઝાડા અને તેના કારણે ડિહાઇડ્રેશન
કાનમાં ચેપ અથવા ગંભીર શ્વસન ચેપ જેમ કે નિમોનિયા
બાળકોને ત્રણ ડોઝ લેવા જોઈએ:
• 9 મહિનાની ઉંમરે પેલો ડોઝ
• 15 મહિનાની ઉંમરે બીજો ડોઝ
• 4 થી 6 વર્ષની વચ્ચે ત્રીજો ડોઝ ત્રીજો ડોઝ, બીજા ડોઝના 8 અઠવાડિયા પછી કોઈપણ સમયે પણ આપી શકાય છે. કેચ-અપ રસીકરણ:
• શાળાએ જતા તમામ બાળકો અને કિશોરો, કે જેમણે અગાઉ મિસલ્સ માટેની રસી (MMR રસીકરણ) લીધી નથી, તેમને 2 ડોઝ લેવા જરૂરી છે.
• જો તેઓને એકવાર રસી આપવામાં આવી હોય, તો માત્ર એક જ ડોઝ આપવાની જરૂર છે
• 2 ડોઝ વચ્ચેનો ઓછામાં ઓછો અંતરાલ 4 અઠવાડિયા હોવો જરૂરી છે
• તાવ
• નાની ફોલ્લીઓ
• સાંધામાં થોડા સમય સુધી દુખાવો અને જડતા
ભાગ્યે જ, આડઅસરોમાં ખુબ વધારે તાવ શામેલ હોઈ શકે છે જે હુમલા તરફ દોરી શકે છે.
આડઅસરો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
મિસલ્સ રસીકરણ (MMR રસીકરણ) એ બાળકોને મિસલ્સ સામે સુરક્ષિત રાખવાની એક અસરકારક રીત છે.
મોટાભાગે નાના બાળકો, જેમને રસી નથી લીધી, તેઓ સૌથી વધુ જોખમ ધરાવે છે. અન્ય લોકો, જેમ કે સગર્ભા સ્ત્રીઓ* અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો કે જેમણે રસી લીધી નથી અથવા રસીકરણ પછી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી નથી, તેઓ પણ આ રોગનું જોખમ ધરાવે છે.
*ગર્ભાવસ્થાના પ્લાનિંગના 3 મહિના પહેલા મિસલ્સ માટેની રસી લેવી જોઈએ.
• જેમને પહેલા MMR રસીનો ડોઝ લીધો હોય અને તે ડોઝ અથવા રસીના કોઈપણ વિશિષ્ટ ભાગથી તેઓને ગંભીર અને હોય શકે છે જીવલેણ એલર્જીક રિએક્શન થયા હોય.
• જેઓ MMR રસી લેતી વખતે બીમાર હોય.
• કૃપા કરીને ડૉક્ટરને પૂછો કરો જો રસી લેનારને:
1. HIV/AIDS અથવા અન્ય કોઈ રોગ છે જે તેમની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે 2.
2 અઠવાડિયા કે તેથી વધુ સમયથી, રોગપ્રતિકારક શક્તિને અસર કરતી સ્ટેરોઇડ્સ જેવી દવાઓ સાથે તેમની સારવાર કરવામાં આવે છે,
3. કોઈપણ પ્રકારનું કેન્સર છે
4. દવાઓ અથવા રેડિયેશન વડે કેન્સરની સારવાર ચાલુ છે
5. તાજેતરમાં રક્તદાન કરાવ્યું હતું અથવા અન્ય રક્ત ઉત્પાદનો આપવામાં આવ્યા હતા
સગર્ભા સ્ત્રીઓ અને સ્ત્રીઓ જે બાળક માટે પ્લાનિંગ કરી રહી છે.
ગર્ભાવસ્થાના પ્લાનિંગના 3 મહિના પહેલા મિસલ્સ માટેની રસી લેવી જોઈએ.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.
અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.